March 30th 2008

લાગણીની બાદબાકી

આ પરવતો નીલી ઘટાઓને કદી નડતા હતા.
ને, આંતરી રસતો, ભિંજવવા માંગણી કરતા હતા.

મન થાય તો માંગી લઉં, પાડી નથી ધાડો કદી,
ચુકવ્યું બધાનું કરજ મેં, ખુદા ખિસ્સા ભરતા હતા.

આ લાગણીની બાદબાકીની ખબર ત્યારે પડી-
સંબંધની ઠેસો ભર્યું જ્યારે ગણિત ગણતા હતા.

સાજન, સગાં ચાલી ગયા, સજની રહી ગઇ એકલી,
પૈઠણ મરક મરકી રહી, મિંઢળ ભડકે બળતા હતાં.

દિવસો જુદાઈ ના ગયા, જાશે હવે બીજા ઘણા,
સાગર ઉલેચી યાદના, ખાલી જગા ભરતા હતા.

ફૌલાદના સરદાર ને રૂદે ગુલાબ ભર્યું રતન,
નાગો ફકિર સંગ એમના, અંગરેજને ડારતાં હતા.

સ્વેત શિશિર ગયો ભાગતો, બીજી તરફ એ ધરતિની,
કારણ, વસંતી રંગ તો અહિં આવવા મથતા હતા.

આ ઝાંઝવા જેવું જિવન કેવું લપસણું વ્હેણ છે,
જિવતાં ડુબે લોકો અને તરવા શબો બનતા હતા.

એ ચિત્ર હવે કેવું હશે, કોનું હશે, ન ખબર પડી,
કારણ, ‘મનુજ’ના કર, હવા રંગો વડે ભરતા હતા.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૨૯/૨૦૦૮
છંદ- રજઝ – જેમાં ગાગાલગા ના ચાર ગણીય આવર્તનો છે.
મુસ.તફ.ઇ.લુન = મૂળ ગણ = ૨+૨+૧+૨ = ગાગાલગા.
એક પંક્તિમાં ૭ ગુણ્યા ૪ = ૨૮ માત્રાઓ હોય છે, અને આખો
શેર ૫૮ માત્રાઓનો હોય છે. ફરી એક વાર પ્રો. સુમન અજમેરીને
એમના નવા પુસ્તકના, સાહિત્ય જગતને પ્રદાન બદલ ધન્યવાદ સાથે-
અને, ‘રસિક’ મેઘાણીજીના ગઝલમાં ‘વજન’ લાવવાના સકારાત્મક આગ્રહને
ધ્યાનમાં રાખી, અને એને માન આપી, એમને આ અર્પણ કરું છું.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૨૯/૨૦૦૮

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment