May 23rd 2020

“ કેટલા વાગ્યા ? ”

મેઘાએ ભાઈના અંતિમસંસ્કારના દિવસે ધીરૂભાઇની એક સુંદર વાત કરી હતી કે ભાઇ ને જમવા બોલાવીએ કે આરતી માટે બોલાવીએ તો ભાઇ, પહેલું એ જ પૂછતાં કે, “કેટલા વાગ્યા?”
અને, એ ઉપરથી એ જ વિષયને નજરમાં રાખી મેં આ કાવ્ય લખ્યું છે,
તે હું અહીં રજૂ કરું છું

જિવન જિવતાં કાંટા ફૂલને કેટલા વાગ્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે, “કેટલા વાગ્યા ?”

દેવ સેવાના સમયે આ બેચેની કેવી ?
ખાવા ટાણે કોઈની ગેરહાજરી કેવી ?
એવું લાગ્યું, એમના રૂમના બારણા ઉઘડ્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે, “કેટલા વાગ્યા ?”

હવે લાગશે ગુ. સા. સ.ની મીટીંગ ખાલી,
સીનીયર્સની સભાની ય રોનક ઠાલી,
એવું લાગ્યું, સીડીઓ પરથી પગલાં ઊતર્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે, “કેટલા વાગ્યા ?”

ઓફિસ રૂમના ફરનિચરનું આ દુઃખ કેવું ?,
ખુરશી પર હવે ભાર નથી એ જ દુઃખ એનું,
એવું લાગ્યું, પુસ્તકોના પાના ફફડ્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે, “કેટલા વાગ્યા ?”

જિવન જિવતાં કાંટા ફૂલને કેટલા વાગ્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે, “કેટલા વાગ્યા ?”

અસ્તુ,
ભાઇના ચરણોમાં અર્પણ,

મનોજ મહેતા – ‘મનુજ’ હ્યુસ્તોનવી
સૌજન્યઃ ગુજરાતી સહિત્ય સરિતા
ભાઇને ભાવભરી વિદાય

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment